પાલીતાણા ખાતે શેત્રુંજય મહાયાત્રાનો પ્રારંભ: સાધુ ભગવંતો, આરાધકો જોડાયા
ચાતુર્માસના ચાર મહિનાના વિરામ બાદ આજે ગુરુવારે કારતક સુદ પુનમે પવિત્ર તીર્થ શેત્રુંજય ગિરિરાજ યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીઓ, ચાતુર્માસ કરી રહેલા આરાધકો તેમજ અનેક શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
પાલીતાણામાં દિવાળીના પર્વ બાદ કારતસ સુદ-૧૫થી શેત્રુંજય ગિરિરાજ યાત્રા શરૂ થઈ હતી. તેમજ ૯૯ યાત્રાનો આરંભ થયો હતો. યાત્રામાં યાત્રીકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત યાત્રિકો માટે ઠેર-ઠેર કાચા પાણી અને ઉકાળેલુ પાણીની પરબો ઉભી કરવામાં આવી હતી. તેમજ સિકયોરિટી અને મેડિકલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. ચાતુર્માસના ચાર મહિના યાત્રા બંધ રહ્યાં બાદ કારતકી પૂનમથી મહાયાત્રાનો પ્રારંભ થયો હતો. મહાયાત્રા કરનારા યાત્રિકોના પગ ધોઈ, ચાંદલા અને સંઘપૂજન કરી પ્રભાવના કરવામાં આવી હતી. આ ઉપરાંત આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી મ.સાની પાવન નિશ્રામાં પાંચેક જગ્યાએ ૯૯ યાત્રાનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ યાત્રિકો યાત્રામાં જોડાયા હતા. સમગ્ર વિસ્તાર આદેશ્ર્વર દાદાની જય હો અને જૈનમ જયતિ શાસનમના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શેત્રુંજય પર ૮૬૩ ઉપરાંત શિખરબદ્ધ દેરાસરો આવેલા છે. ૬૦૩ મીટર ઉંચી પર્વત માળા ૨૦ એકરનો ઘેરાવો ઘરાવે છે. ૧૦૭૭ ફુટ સમુદ્રથી ઉંચાઈએ દાદાની મુખ્ય ટુંક આવેલી છે.
Releated News
- જામનગરની પ્રખ્યાત કચોરી તો એચ.જે. વ્યાસ મીઠાઇવાલાની જ......
- પટેલ ખેડૂતે પાડ્યો નવો ચિલો: એક વિઘામાં 60 મણ બાસમતી રાઈસ...
- બનાવટની બોલબાલા : માંગો તે લક્ઝરી બ્રાન્ડ હાજર...
- વોટ્સએપના નવા વર્ઝનના ફિચર્સ જાણીને તરત જ કરી લેશો ડાઉનલોડ...
- ફેસબુકે જાહેર કરી ફ્રી ઈન્ટરનેટ સેવા...
- દેવભૂમિ દ્વારકાને મળ્યું આવું જોરદાર સ્થાન, જાણીને તમને થશે...
- મહિલાઓ શા માટે કહેવાય છે રહસ્યમય, જાણો 7 કારણ...
- મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં ભારતની મદદ કરશે ઇઝરાયલ...
- સંબંધો માટે ખતરનાક છે સેલ્ફીનું એડિકશન. આ છે તેના સાઇડ...
- USમાં ઇતિહાસ રચી ગુજરાતી માસ્ટર શેફ હેતલ વસાવડા પહોંચી ટોપ...
- વડોદરામાં નવો પ્રોજેક્ટ: ગુજરાતનું સૌથી મોટું AC માર્કેટ બનશે...
- 2015માં મળી શકે છે આ પાંચ ટેકનિક, યુઝર્સને માટે બનશે યુઝફૂલ ...
- કચ્છ નહી દેખા તો કુછ ભી નહી દેખા.....કચ્છના જોવાલાયક સ્થળોની...
- સેમસંગે લોન્ચ કર્યો સૌથી સ્લિમ ફોન ગેલેક્સી A7...
- વોટ્સઅપ પર તસવીર જોઈ અપહૃત બાળકને મેઘાલય જતાં PSIએ છોડાવ્યો ...
- એશિયાનું સૌથી સ્વચ્છ ગામ મેઘાલયમાં છે...
- ગુજરાતનું પ્રથમ ગ્રિન સિટી: ગાંધીનગરમાં સૌથી વધુ 8.66 લાખ...
- કેવો હતો માહોલ જ્યારે અમદાવાદની ધરતી પર લેન્ડ થયું દુનિયાનું...
- પૈસાની તંગી દૂર કરવાં, દિવાળીની રાત્રે આ 8 ખાસ સ્થાને પ્રગટાવો...
- સૌરાષ્ટ્રના પટેલોએ બતાવ્યો 'પટેલપાવર', બે મિનિટમાં શૌચાલયો...